જ્યારથી માનવી વિચારતો થયો ત્યારથી તેને એ જિજ્ઞાસા થયા કરે છે કે કોઈ ઘટના બની તેની પાછળનું કારણ શું ?
ઘટના બનવા પાછળ કારણ જવાબદાર હોય છે તેવી દરેક માનવીને શ્રદ્ધા છે.
આમ મૂળભૂત રીતે માનવી શ્રદ્ધાળુ છે તે કાર્યકારણના મહાનિયમમાં શ્રદ્ધા રાખે છે.આ મહાનિયમમાં શ્રદ્ધા રાખીને જ વૈજ્ઞાનિકો શોધ આરંભે છે.
વૈજ્ઞાનિકોને કુદરતમાં અખૂટ વિશ્વાસ છે કે કોઈપણ ઘટનાનું કારણ શોધીએ એટલે કારણ મળી આવશે જ.
આ કારણ શું છે ?
કારણ એટલે ઘટના બનવા માટેનો અનિવાર્ય સંજોગ.
જેની હાજરી સિવાય ઘટના અસ્તિત્ત્વમાં આવતી નથી.
કારણમાંથી કાર્ય બને ત્યારે તેમાં ગતિ જન્મે છે.
જેમકે દૂધ માંથી દહીં બને ત્યારે મેળવણનું ટીપું પડતાં જ દહીં બનવા માટે બેક્ટેરિયા બનવા લાગે છે.
બીજ જમીનમાં પડતાંની સાથે જ તેમાં અંકુર ફૂટવાની પ્રક્રિયા શરુ થાય છે.
એનેફીલીસ મચ્છરની માદા કરડતા જ મેલરિયા થવાની શરૂઆત થાય છે આમ ગતિ તુરત જ જોવા મળે છે પણ તેને નરી આંખે જોઈ શકાતી નથી.
અલબત્ત દૂધ માંથી દહીં બને ત્યારે ચોક્કસ ઉષ્ણતામાન હોવું જરૂરી છે.આ ચોક્કસ ઉષ્ણતામાન સહકારી કારણ કહેવાય.
કેટલીક બાબતો કારણમાંથી કારણ બનવા માટે અવરોધ રૂપ બને છે જેમ કે દહીં બનવા માટે ઠંડી ના હોવી જોઈએ.
મેલેરિયા થવા માટે થાક,રક્તકણોની ઉણપ, પ્રતિકાર શક્તિ નો અભાવ સહકારી સંજોગ છે. બીજમાંથી અંકુર ફૂટવા માટે પાણી કે ભેજ,માટી,પ્રકાશ,હવા, વાતાવરણ સહકારી સંજોગો છે.
કારણ પુરોગામી હોય છે.
કારણ હંમેશા પહેલા અને કાર્ય પછી જોવા મળે.બીજ પહેલા પછી જ અંકુર.
કારણમાંથી કાર્ય બનવા માટે “તત્કાલ”હોય છે એટલે કે ચોક્કસ સમય હોય છે.
કાગડો બેસે અને ડાળી પડે તો કાગડાને જ કારણ ના કહેવાય.ડાળી જર્જરિત થઇ હોઈ પહેલો તેના પર ઘા પડ્યો હોય કે વાવાઝોડું જેવી અસરો પણ કારણ ની શરૂઆત થઇ ગઈ હોય એમ બને.
દરેક બીજમાંથી અંકુર ફૂટવા માટે ચોક્કસ સમય હોય છે.
કેટલીક જુવાર ૬૦ તો કેટલીક જુવાર ૮૦ દિવસે પાકે છે તો નારિયેળ ના બીજમાંથી અંકુર ફૂટતા મહિનો પણ વીતી જાય.આમ કારણ તત્કાલ હોય છે.
કારણના ગુણો કાર્યમાં આવે છે.
જેવું કારણ તેવું જ કાર્ય.બીજના ગુણો અંકુર, વૃક્ષ કે તેના પર્ણમાં પણ જોવા મળે.
લીંબુડીના પણ માં લીંબુની ગંધ આવે,આંબા ના પાંદડામાં કેરીની ગંધ આવે.
આમ કારણ જેવું જ કાર્ય. “વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા”
કારણનો નાશ થતો નથી અવિનાશી છે.
કારણ ફક્ત રૂપાંતર પામતી ઘટના છે.આપણું વસ્ત્ર પહેલા તંતુ તે પહેલા રૂ હતું તે પહેલા કપાસ અને તે પહેલા બીજ હતું.
હવે આ વસ્ત્ર ભવિષ્યમાં સાફસૂફી કરવાનું ઝાપટીયું કે પોતું બની જાય.
આમ વસ્ત્રનું રૂપાંતર થાય પણ તેનો નાશ થતો નથી અહીં શક્તિ સંચયનો નિયમ કામ કરે છે.
કારણની શોધમાંથી જ બધી શોધ શક્ય બની છે.આ જગતનું કારણ શું ? તેની ચર્ચા વિવિધ દર્શનશાસ્ત્ર માં જોવા મળે છે.